તારીખ ૨૯ જુલાઈની વર્ષાઋતુની મોસમી સંધ્યાએ સાબરમતી સરિતાનું પૂજન થયું ત્યારે આપણે માત્ર સાબરમતી જ નહીં પરંતુ બધી નદીઓની પવિત્રતા જળવાય તે જોવાની આપણે સૌ નાગરિકોની ફરજ છે. નદીમાં દૂષિત કચરો ન નાંખીને તેને પવિત્ર બનાવવાની છે. સાબરમતીમાં નર્મદાનું પણ પાણી આવે છે ત્યારે નર્મદાને તો જોવાથી પણ પુણ્ય મળે છે, તેને કેવી રીતે દૂષિત કરી શકાય ? મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નિયત સમય કરતાં લગભગ અડધો કલાક મોડી, સાંજે ૭.૧૫ પછી સાબરમતી નદીની આરતી અમદાવાદનાં પ્રખ્યાત જગન્નાથજી મંદિર દ્વારા જળયાત્રા દ્વાર, સોમનાથ ભુદરના આરે, જમાલપુર ખાતે કરી હતી.
આ પ્રસંગે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મેયર મીનાક્ષીબેન પટેલ સહિત રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ૧૫૧ દીવાની મહાઆરતી થઈ હતી અને લોકોએ ‘સાભ્રમતી મૈયા કી જય’નો જયઘોષ કર્યો હતો. વરસાદમાં પણ આ ઐતિહાસિક પ્રસંગને અનેક નગરજનોએ પોતાના કેમેરા અને મોબાઇલમાં કંડારી લીધો હતો. આ પ્રસંગે સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે ત્યારે કેટલાક લોકોએ શ્રાવણમાં મહાદેવજીને થોડું દૂધ ચઢાવીને બાકીનું કુપોષિત બાળકોને આપવાનું કાર્ય કરી રહ્યા છે, આ અનુકરણીય પ્રયાસને અભિનંદન છે. જ્યારે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે નદીની પૂજાનો ઉદ્દેશ્ય સ્વચ્છતાનો પણ છે ત્યારે અમદાવાદમાં થયેલી આ મહાઆરતીનું ભારતભરનાં શહેરમાં અનુકરણ થાય તેવી શુભકામના વ્યક્ત કરીએ છીએ.
‘મહાઆરતીના સ્થળે સ્વચ્છતા જરૂરી’
મહાઆરતીના પ્રથમ પ્રસંગે જ ધોધમાર વરસાદ પડ્યો હતો જેને કારણે પાણી ભરાયા હતા અને કીચડનો માહોલ સર્જાતાં લોકોએ કહ્યું હતું કે નદીની સ્વચ્છતા પહેલાં આ માર્ગ સ્વચ્છ રહે તેવું આયોજન થવું જોઇએ.
ગુજરાતીલેક્સિકોન દ્વારા ધર્મપ્રેમી, પર્યાવરણપ્રેમી અને કુદરતી જળસંપદાની જાળવણી રૂપે થયેલા આ પસંશનીય કાર્યને બિરદાવતાં હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
લેખ અને ઇમેજીસ માટે આભારઃ
http://navgujaratsamay.indiatimes.com/
http://static.panoramio.com/photos/large/77297214.jpg
http://www.sandesh.com/UploadImages/ahm_dist/News11_20140729203133113.jpg
મોસમી – તે તે યોગ્ય ઋતુને લગતું (ખાસ કરી ફળો, પાક અને પવન પણ)
સાભ્રમતી – સાબરકાંઠામાંથી પસાર થઈ ખંભાતના અખાતમાં પડતી મેવાડની પહાડીમાંથી વહી આવતી એક નદી, સાબરમતી.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.