પ્રથમવાર પ્રગટ થયા પછી લાંબા સમય સુધી અપ્રાપ્ય રહેલી, છ ભાગમાં વિસ્તરેલી મહાગુજરાતના મશાલચી ઈન્દુચાચાની આત્મકથા અરૂણાબહેન મહેતા મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે હવે ચાર વોલ્યુમમાં ફરીથી ઉપલબ્ધ છે. વિમોચન કાર્યક્રમ દરમિયાન રૂ.600/- રોકડેથી ચૂકવીને આ ગ્રંથસંપુટ મેળવી શકાશે જેની મૂળ કિંમત રૂ.1300/- છે.
ગુજરાતના પૂર્વ નાણામંત્રી સનત મહેતાના અધ્યક્ષસ્થાને અને ઈન્દુચાચાને આત્મકથાના લેખન દરમિયાન લહિયાની સેવા આપનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અતિથિ વિશેષપદે યોજાનારા આ કાર્યક્રમમાં નવલકથાકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ભગવતીકુમાર શર્મા આત્મકથા ગ્રંથસંપુટનું વિમોચન કરશે. વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ ભૂમિકા બાંધશે. તેમને સાંભળવાનો લહાવો ચૂકવા જેવો નથી.
વિમોચન કાર્યક્રમ : શનિવાર, 25 જૂન 2011 – સાંજે 5:00 કલાકે
સ્થળ : ભાઈકાકા ભવન, લો ગાર્ડન, એલીસબ્રીજ, અમદાવાદ.
(પોતાનું વાહન ધરાવનાર પણ આ કાર્યક્રમમાં ઓટોરિક્ષામાં આવીને ઈન્દુચાચાને દિલથી યાદ કરી શકે છે. ગ્રંથસંપુટ ઘરે લઈ જવામાં એથી અનુકૂળતા રહેશે એ વધારાનો લાભ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.