ભક્ત હરિદાસ
January 09 2020
Written By
Rahul Viramgamiya
હરિદાસનો જન્મ એક મુસ્લિ પરિવારમાંં થયો હતો, પરંતુ હરિદાસ નખશિખ ક્રૃષ્ણભક્ત હતા. બહુ નાની વયથી હરિદાસને હરિનામ પ્રત્યે તીવ્ર અનુરાગ હતો.
તેઓ ઘર છોડીને વનગ્રામની પાસે બેનાપોલના નિજૅન વનમાંં એક નાની કુટિયા બનાવીને, તેમાંં રહેતા હતા. હરિદાસ દિનરાત હરિનામ જપમાંં તન્મય રહેતા.
દરરોજ ત્રણ લાખ નામજપ કરવાનો તેમનો નિયમ હતો અને આ નામજપ પણ જોરજોરથી કરતા. હરિદાસ દિવસમાંં એક વાર ભિક્ષાન્ન પર જીવતા અને
બાકીનો સમય નામ જપમાંં તન્મય રહેતા. એકવાર વનગ્રામના દુષ્ટ જમીનદારે હરિદાસની સાધના નષ્ટ કરવા માટે ધનની લાલચ આપીને એક વેશ્યાને હરિદાસ
પાસે મોકલી. હરિદાસજી તો નામસ્મરમાંં તન્મય હતા. તે સુંદરી વેશ્યા કુચેષ્ટા કરવા માંંડી. હરિદાસ નામજપ છોડને તેની સામે જોવા પણ તૈયાર ન થાય. આ રીતે
ત્રણ રાત સુધી વેશ્યા હરિદાસ ને ફસાવવા માટે આવી પણ હરિદાસ વિચલિત ન જ થાય. ત્રણ રાત સુધી તે વેશ્યાએ હરિદાસનું સ્મરણ ક્ર્યું અને પરિણામે તેના અંત
કરણની પણ શુદ્ર્રિ થઈ તે વેશ્યા ફસાવવા આવી હતી, પરંતુ પોતે જ બદલાઈ ગઈ. આખરે હરિદાસનાંં ચરણોમાંં પડીને ક્ષમા માગીને ચાલી ગઈ. તે વેશ્યા વેશ્યા મટીને તપસ્વીની બની ગઈ. તે પોતે હરિનામનો જપ કરવામાંં તન્મય બની ગઈ. સાધુસંંગ અને નામશ્ર વણનો આવો મહિમા છે.
તદનંતર નવદ્ર્રીપમાંં ચૈતન્ય મહાપ્રભુના આશ્રમે આવીને રહે છે. ત્યાંં પણ તેમનું હરિનામ સંકીતૅન વધુ જોરથી ચાલુ રહે છે. સંન્યાસ ધારણ કરીને ચૈતન્ય મહાપ્રભુ
જગન્ન્નાથપુરીમાંં રહે છે. હરિદાસ પણ પુરીમાંં આવીને રહે છે. ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞાથી હરિદાસ કાશી મિશ્રા ના બગાચામાંં કુટિયા બનાવીને રહે છે.
હરિદાસના દેહત્યાગ વખતે ભક્ત મંડળી સહિત ચૈતન્ય મહાપ્રભુ ત્યાંં ઉપસ્થિત હતા. તેમણે જ હરિદાસની સમાધિ બનાવી. આજે પણ જગન્ન્નાથપુરીના
દરિયાકિનારે હરિદાસજીની સમાધિ અવસ્થિત છે. આવા હતા – હરિદાસજી! અને આવો છે-હરિનામનો મહિમા !
More from Rahul Viramgamiya



More Article



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.