આત્મવિશ્વાસુ બનવું છે?

August 19 2015
Written By GujaratilexiconGurjar Upendra

આત્મવિશ્વાસુ બનવું છે? 

આત્મવિશ્વાસ વગરનુ જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. આ એક એવો ગુણ છે જે તમારુ જીવન બદલી શકે છે. આપણામાંથી ઘણા લોકો પાસે આ ગુણ નથી હોતો અને તેના કારણે જીવન દુષ્કર થઈ જાય છે.

તો આપનું જીવન પણ આત્મવિશ્વાસથી ભરપુર કરવા અને તમારા પસંદિદા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા આટલી ટિપ્સ અપનાવી જૂઓ પછી જૂઓ તે તમને કેટલી મદદગાર થાય છે.

સૌ પહેલાં તો એ જાણી લો કે આત્મવિશ્વાસ એવી કોઈ વસ્તુ નથી જે બધા જન્મતાની સાથે લઈને આવે છે. તેને તમે ગમે ત્યારે વિકસાવી શકો છો.

તમારા આત્મવિશ્વાસને વધારવા માટે આ રહી અમુક ટિપ્સ જે તમને ચોક્કસ મદદ કરશે

-પોતાના વિશે હકારાત્મક વિચારો. પોતાના વિશે હકારાત્મક વાતો કરો, તમારી સફળતાઓ વિશે વાત કરો. તમારી કલા અને ગુણોની કદર કરો.

– લોકો તમારી પ્રશંસા કરે તો તેને અવગણશો નહી. તેને હકારાત્મક રીતે લો અને તેને ગ્રહણ કરો. એક વાત યાદ રાખો કે દુનિયામાં તમે એક જ છો અને બીજુ કોઈ વ્યક્તિ તમે ન બને શકો.

– પોતાનામાં વિશ્વાસ ધરાવો. તમે જે કરો છો તે અને માનો છે તે ખરુ છે. તમે જે વાતમાં માનો છો તેનો પક્ષ લો અને તેના માટે ઊભા રહો.

– તમારા નકારાત્મક ગુણો અથવા નબળાઈઓની યાદી બનાવો અને તેના પર કામ કરવાનુ શરૂ કરો. તમારા શરીરના હાવભાવ સુધારો અને ટટ્ટાર ચાલો.

– તમારી જાતની કાળજી લેવાનુ શરૂ કરો. તમારા ડ્રેસિંગ સ્ટાઈલ અને દેખાવ પર ધ્યાન આપો. જો તમે સારા લાગતા હશો તો તમે સારો અહેસાસ કરશો.

– હસો અને લોકો સાથે નજરથી નજર મેળવીને વાત કરો. જ્યારે બની શકે ત્યારે લોકોને મદદ કરો. ન આવડતા કામને ટાળો નહીં તેને શિખવાનો પ્રયાસ કરો

– તમારા માટે તમને યોગ્ય લાગે તેવા કોઈ રોલ મોડેલને પસંદ કરો. તેના ગુણો અને આદતોનુ અવલોકન કરો. સારી બાબતોને અનુસરવાનો પ્રયત્ન કરો.

– આખરે તમે આત્મવિશ્વાસુ હોવાનો અભિનય કરો ભલે પછી તમે આત્મવિશ્વાસ ન ધરાવતા હોવ. ધીરે ધીરે તમને એ વાત હકીકત માનવા લાગશો.

આત્મવિશ્વાસ જગાડવો થોડુ સમય લગાડે એવુ કામ છે પણ તેના માટે સમય અને પ્રયત્નો કરવા જરૂરી છે. તો આજથી જ આત્મવિશ્વાસ તરફ ચાલવાનુ શરૂ કરી દો.

સુવિચાર:

આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે- જે કામથી તમે ડરો છો તે જ કરો………

ક્યારેય વધુ પડતા લાગણીશીલ થવું નહીં અને વધુ પડતી બુદ્ધિથી ગમે તેમ બોલીને કોઈને હેરાન કરવા નહીં::– અજ્ઞાત

શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ.

માત્ર માણસ જ રડતાં રડતાં જન્મે છે , ફરિયાદ કરતાં જીવે છે અને નિરાશ મરે છે.

આદતને જો રોકવામાં ન આવે તો તે ઝડપથી ટેવ બની જાય છે.

હાથીના પગલામાં જેમ બધા જ પ્રાણીના પગલા સમાઈ જાય છે તેમ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે.- વેદવ્યાસ

એક વાત હૃદય પર કોતરી રાખજો કે આપણા જીવનના સુખ અને દુ:ખ મનના કારણ હોય છે.. –જે.પી.વાસવાણી

જીવન માં કશુંક મોટું મળે ત્યારે નાનાને છોડી ન દો , કારણકે સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી.

હાસ્ય ખુશીમાંથી નહીં પરંતુ દુ:ખ-દર્દમાંથી આવે છે::– ચાર્લી ચેપ્લિન

હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ:::- ગાંધીજી

ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ પેદા થાય, મનને નબળું પડવા ન દો. જ્યાં રહો, આનંદમાં રહો…..

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા અને સંબંધો જો સાચા હોય તો એને કદી સાચવવા નથી પડતા::::— અજ્ઞાત

એવું જીવન ના જીવો કે લોકો આપણાથી અંજાઈ જાય, પણ એવું જીવન જીવો કે લોકો આપણી લાગણીથી ભીંજાઈ જાય:::::- અજ્ઞાત

આક્રોશ,આવેગ અને આવેશની તૃપ્તિ માણસને ક્યારેય સફળ થવા દેતી નથી.-અજ્ઞાત

જેઓ બીજાને માટે જીવે છે , તેઓ જ ખરેખર જીવે છે. – સ્વામી વિવેકાનંદ

વ્યક્તિ નો પરિચય ચહેરાથી થાય છે પણ એની ઓળખ તો વાણી થી થાય છે.

જીવન ની દશા સુધારવાનો ઉપાય છે , જીવન ની દિશા બદલી નાખવી.

વાંચન દ્વારા એક ઇંચ પણ ખસ્યા વિના આખા વિશ્વનો પ્રવાસ ખેડી શકાય છે. – જુમ્પા લાહીરી

 

More from Gurjar Upendra

More Article

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

જુલાઈ , 2024

બુધવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects