નવસારી જિલ્લો ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ, નવસારી, વાંસદા – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 374 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,211 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 13 લાખથી વધુ છે. 83%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
ઉભરાટ દરીયાકિનારાનું વિહારધામ છે. વાંસદા જૂના રજવાડાનું સ્થળ હોઈ પુરાણો મહેલ અને દરબારગઢ ધરાવે છે. બીલીમોરા ઇમારતી લાકડાં અને કાગળના ઉદ્યોગનું મથક છે. ગણદેવીમાં થોડાંક શેલડી(શેરડી)નાં કારખાનાં થયાં છે. નવસારી જિલ્લામાં કેરી અને ચીકુ જેવાં ફળોનું ખૂબ જ ઉત્પાદન થાય છે. વાંસદામાં પક્ષીઓ માટેનું રાષ્ટ્રિય અભયારણ્ય આવેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ