ભરૂચ જિલ્લો આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, વાગરા અને વાલિયા – એમ કુલ 9 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 663 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 6,524 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 15 લાખથી વધુ છે. 81%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
આ જિલ્લાનું મુખ્ય મથક ભરૂચ ગુજરાતનું બંદર સ્વરૂપનું જૂનામાં જૂનું પ્રથમ નગર છે. તેલના કૂવા માટે જાણીતું અંકલેશ્વર ભરૂચની જોડે જ આવેલું છે. અંકલેશ્વરમાં રાસાયણિક બનાવટોના વિવિધ ઉદ્યોગ ખીલ્યા છે. નર્મદાતટે શુક્લતીર્થ આ જિલ્લાનું પવિત્ર તીર્થ છે. શુક્લતીર્થ પાસે કબીરવડ છે, જે એના વિશાળ કદ અને એની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.