न.
( જૈન ) જ્ઞાનના બે માંહેનો એક પ્રકાર. ઉપદેશજ્ઞાન અને સિદ્ધાંતજ્ઞાન એમ જ્ઞાનના બે પ્રકાર ગણાવાય છે. આત્માનું હોવાપણું, આત્માનું નિત્યપણું, આત્માનું એક અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા આ બધાંને દષ્ટાંત આદિથી જે પ્રકારે સિદ્ધ કર્યાં હોય છે તે સિદ્ધાંતજ્ઞાન કહેવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે, સિદ્ધાંતજ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવલ ક્ષયોપશમે અને સદ્દગુરુના વચનની આરાધના ઉદ્ભવે છે. જે જીવમાં અસંગદશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ છે અને અસંગતા વૈરાગ્ય અને ઉપશમથી આવે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.