મધ્યકાલીન ગુર્જર સાહિત્યના પ્રકાંડ અભ્યાસી વિદ્વાન પ્રો. જયંત કોઠારીની વર્ષોની સૂઝબૂઝ ભરેલી મહેનતના પરિણામે ‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’ નામનો સુંદર સંદર્ભકોશ તૈયાર કરવામાં આવેલો છે. જેઓ મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ કરવા ઇચ્છુક છે તેમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
પ્રવૃત્તિ મહત્ત્વની કે પ્રસિદ્ધિ ? સમાજથી ડરવાનું બંધ કરીએ ? જિંદગી સામે ફરિયાદો કરવાનું માંડી વાળીએ ? આપણે ધીરજનો ગુણ ગુમાવી રહ્યા છીએ….. વગેરે જેવા અનેક રસપ્રદ વિષયો ધરાવતી ઈબુક એટલે આનંદનું આકાશ.
જિંદગી ક્યાંથી શરૂ થાય છે ? જીવનમાં આનંદ આપવાથી મળે છે કે મેળવવાથી ? સામાજિક સંબંધો કેટલા ઉપકારક છે ? અણગમો પ્રગટ કરવામાં શુંં આપ શરમ અનુભવો છો ? વગેરે જેવા વિવિધ વિષય વસ્તુઓ ઉપર આધારિત પુસ્તક એટલે આનંદનું આકાશ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે